ઓપરેશન સિંદુર

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now


તારીખ 6 અને 7 ને 2025 ના રોજ રાત્રે 1:05 મિનિટ ભારત દ્વારા ઓપરેશન સિંદુરને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઓપરેશન સિંદૂર તારીખ 22 એપ્રિલના રોજ થયેલ કાશ્મીરના પહેલગામ હુમલાને લઈને કરવામાં આવેલ હતું.



ઓપરેશન સિંદૂર નામ શું કામ આપવામાં આવ્યું ?

ગત તારીખ 22 એપ્રિલ 2025 ના રોજ કાશ્મીરના પહેલગામ માં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલ હતી તેમાં ફક્ત ત્યાં ફરવા આવેલા પ્રવાસીઓ, નાગરિકો અને માસુમ પ્રવાસીઓ ના પરિવાર ધ્યાનમાં રાખીને ભારત દ્વારા ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવે. 


ઓપરેશનમાં નેતૃત્વ કરનાર બે મહિલા કે જે Col. Sofiya Qureshi and Wing commander Vyomika Singh દ્વારા મિશન પાર પાડવામાં આવેલ હતું જેનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવેલ હતું જે સકતી, બલિદાન અને શક્તિની નિશાનીનું પ્રતિક છે આ બે મહિલાઓ દ્વારા આખા મિશનનું નેતૃત્વ કરવામાં આવેલ હતું.

તારીખ 5 અને 6 એપ્રિલ મે 2025 ના રોજ ભારત દ્વારા પાકિસ્તાનના 9 જગ્યા ઉપર એરસ્ટ્રાઈક કરવામાં આવેલી હતી આ એરસ્ટ્રાઈકમાં ભારતે 9 જગ્યા ઉપર મિસાઇલ દ્વારા આતંકી એરવેઝને નસ્તો નાબૂદ કર્યું હતું.


ઓરેશન સિંદૂર માટે કર્નલ સોફિયા કુરેશી અને વિગ કમાન્ડરની ભારતીય સેના દ્વારા આ મિશન દ્વારા સ્પેશિયલ પસંદગી કરવામાં આવી હતી.

કોણ છે કર્નલ સોફિયા કુરેશી ? 

સોફિયા કુરેશીનો જન્મ ગુજરાતના વડોદરામાં થયેલો અને તેઓ બાયોકેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન થયા બાદ ઇન્ડિયન આર્મીમાં ભરતી થયા. તેમના દાદા ભારતીય સેનામાં હતા. તેઓ ત્યારે ચર્ચામાં આવ્યાં હતા. જ્યારે આર્મી ડ્રિલમાં ભારતનું કમાંડિંગ કરવાની તક મળી હતી.


કોણ છે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ?

ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે યોમિકા સિંહ સેવા આપી રહી છે. વ્યોમકા સિંહને હેલિકોપ્ટર ઉડાવવામાં મહારથ હાંસલ છે તેમ પણ કહી શકાય છે. 17 ના રોજ તેમને વિન કમાન્ડર તરીકે નિમવામાં આવેલા હતા. તેઓ લડાયક હેલિકોપ્ટર ઉડાવવામાં ખૂબ જ સક્ષમ છે.

આ મિશન સિંદુરમાં પહલગામ હુમલામાં ઘણી મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા હોવાથી ભારતીય સેના દ્વારા આ ઓપરેશન નું નેતૃત્વ મહિલાઓ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું જે સાબિત કરે છે કે મહિલાઓ આજની નારી શક્તિ છે ધારે તે કરી શકે છે. જેની નોંધ પુરા આખા વિશ્વમાં લેવામાં આવી હતી











Post a Comment

0 Comments